Budget 2023: બજેટમાં મોટી જાહેરાત, PFમાંથી પૈસા ઉપાડ્યા પછી TDS ઓછો કપાશે, જાણો કઈ રીતે મળશે લાભ

News18 Gujarati
Updated: February 1, 2023, 6:06 PM IST
Budget 2023: બજેટમાં મોટી જાહેરાત, PFમાંથી પૈસા ઉપાડ્યા પછી TDS ઓછો કપાશે, જાણો કઈ રીતે મળશે લાભ
5 વર્ષ પછી કોઈ ટીડીએસ વસૂલવામાં આવતો નથી.

Budget 2023: EPFમાંથી ઉપાડેલી રકમ પર TDS પણ 30 ટકાથી 20 ટકા સુધી કરવામાં આવશે. નવી ટેક્સ સિસ્ટમ હેઠળ સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને 3 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી છે.

  • Share this:
Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે 2024ની સામાન્ય ચૂંટણી પહેલા છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. આમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. આ ઘોષણાઓમાં, EPFમાંથી ઉપાડેલી રકમ પર TDS પણ 30 ટકાથી 20 ટકા સુધી કરવામાં આવશે. વાસ્તવમાં, જો કોઈ ખાતાધારક 5 વર્ષની અંદર પૈસા ઉપાડે છે, તો તેણે TDS ચૂકવવો પડશે. જ્યારે, 5 વર્ષ પછી કોઈ ટીડીએસ વસૂલવામાં આવતો નથી.

જે લોકો પાસે ટેક્સ પાન કાર્ડ છે તેમણે ઓછો TDS ચૂકવવો પડશે. જો કોઈનું PAN કાર્ડ EPFOના રેકોર્ડમાં અપડેટ નથી થયું, તો તેણે 30% સુધી TDS ચૂકવવો પડશે. હવે તેને ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Budget 2023: જોબ બાદ હવે પ્રોફેશનલ્સને મળી Tax રાહત, અનુમાનિત કર યોજનાની મર્યાદામાં વધારો

TDS ક્યારે લેવામાં આવે છે


ઉપરોક્ત પરિસ્થિતિ સિવાય, જો કોઈ વ્યક્તિ EPFO ​​ખાતું ખોલ્યાના 5 વર્ષની અંદર પૈસા ઉપાડે છે, તો તેણે TDS ચૂકવવો પડશે. જો 50,000 રૂપિયાથી વધુ રકમ ઉપાડવામાં આવી રહી હોય અને પાન કાર્ડ ઉપલબ્ધ હોય તો 10% TDS વસૂલવામાં આવશે, પરંતુ જો PAN ન હોય તો 30% TDS કાપવામાં આવશે. આજનો ફેરફાર 30 ટકા ચૂકવનારાઓ માટે સારા સમાચાર લઈને આવ્યું છે.

આ પણ વાંચો:Budget 2023 Memes: 'બૈતે ક્યા હો નાચો...' બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનો માહોલ, જુઓ લોકોની પ્રતિક્રિયા...

પીએફમાંથી ક્યારે પૈસા ઉપાડી શકાય


બેરોજગાર ખાતાધારકો 2 મહિનાથી પીએફમાંથી સંપૂર્ણ પૈસા ઉપાડી શકે છે. આ સિવાય રિટાયરમેન્ટ કે 58 વર્ષની ઉંમર પછી પણ પૈસા ઉપાડી શકાય છે.  કર્મચારીનું મૃત્યુ થાય છે ત્યારે આવી સ્થિતિમાં, તેમના દ્વારા નામાંકિત વ્યક્તિ પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. આ સિવાય બીજા પણ ઘણા કારણો છે જેને જણાવીને તમે પીએફમાંથી પૈસા ઉપાડી શકો છો. જો કે, તેમની સાથે કેટલીક શરતો પણ જોડાયેલ છે.


આવકવેરા ભરનારાઓ માટે સારા સમાચાર


આજના બજેટમાં જોવામાં આવે તો આવકવેરા ભરનારાઓ માટે સૌથી મોટા સારા સમાચાર આવ્યા છે. નવી ટેક્સ સિસ્ટમ હેઠળ સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને 3 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી છે. એટલું જ નહીં, આ પછી 7 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ રિબેટ હેઠળ લાવવામાં આવી છે, તેથી અસરકારક રીતે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અન્ય ટેક્સ સ્લેબને પણ નીચે લાવવામાં આવ્યા છે. સંસદમાં નાણામંત્રીના ભાષણ મુજબ, હવે 9 લાખ રૂપિયા સુધીનો પગાર મેળવનારા લોકોને 60,000 રૂપિયાના બદલે માત્ર 45,000 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે.
Published by: Darshit Gangadia
First published: February 1, 2023, 6:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading