IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સના કંગાળ પ્રદર્શન પર કેપ્ટન રોહિત શર્માએ કહ્યું,'હું સંપૂર્ણ જવાબદારી લઉં છું...'
News18 Gujarati Updated: April 16, 2022, 11:23 PM IST
રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ મુંબઈ ઈન્ડિયન્સને IPL-2022માં સતત છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો હતો. (ટ્વિટર/મુંબઈ ઇન્ડિયન્સ)
IPL 2022: કેપ્ટને કહ્યું, 'હું મારી પાસેથી અપેક્ષા રાખતી સ્થિતિમાં ટીમને ન પહોંચાડવાની સંપૂર્ણ જવાબદારી લઉં છું. હું મેદાન પર જવા માંગુ છું અને તે જ રીતે રમતનો આનંદ માણવા માંગુ છું જે રીતે હું છેલ્લા ઘણા સમયથી કરી રહ્યો છું.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2022)ની વર્તમાન સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ને શનિવારે સતત છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) આનાથી ઘણો નિરાશ જોવા મળ્યો હતો. ટીમની હાર માટે "સંપૂર્ણ જવાબદારી" લેતા રોહિત શર્માએ કહ્યું કે તે સમજી શકતો નથી કે ટીમના અભિયાનને પાટા પર લાવવા માટે શું સુધારવાની જરૂર છે. રોહિત પોતે પણ લયમાં નથી અને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તેણે 6 મેચમાં માત્ર 141 રન જ બનાવ્યા છે જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 41 રન છે.
મેન ઓફ ધ મેચ અને કેપ્ટન કેએલ રાહુલ (103*)ની સદીની મદદથી લખનૌએ મુંબઈ સામે 200 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેના જવાબમાં મુંબઈની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 181 રન જ બનાવી શકી અને 18 રનથી મેચ હારી ગઈ હતી. લીગના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે મુંબઈની ટીમને સતત 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય.
આ પણ વાંચો- IPL 2022: સતત છઠ્ઠી હાર બાદ રોહિત શર્માને મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટનપદેથી હટાવવાની માંગ ઉઠી
શનિવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 18 રનની હાર બાદ રોહિત શર્માએ કહ્યું, 'જો મને ખબર હોત કે શું ખોટું થઈ રહ્યું છે, તો મેં તેને સુધારી લીધું હોત, પરંતુ ચક્ર સમાપ્ત થતું નથી. હું દરેક મેચ માટે જે રીતે તૈયારી કરું છું, તે હજુ પણ કરી રહ્યો છું, તેમાં કંઈ અલગ નથી.
કેપ્ટને કહ્યું, 'હું મારી પાસેથી અપેક્ષા રાખતી સ્થિતિમાં ટીમને ન પહોંચાડવાની સંપૂર્ણ જવાબદારી લઉં છું. હું મેદાન પર જવા માંગુ છું અને તે જ રીતે રમતનો આનંદ માણવા માંગુ છું જે રીતે હું છેલ્લા ઘણા સમયથી કરી રહ્યો છું. આગામી મેચો વિશે વિચારવું જરૂરી છે. આ (હારવાથી) જગતનો અંત આવતો નથી. અમે પાછા આવવાનો પ્રયત્ન કરીશું.
આ પણ વાંચો- IPL 2022: રોહિત શર્મા, પોલાર્ડ અને બુમરાહ બધા નિષ્ફળ, મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી મેચમાં હાર
રોહિતે જસપ્રીત બુમરાહના બોલિંગ ન ખોલવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેણે અન્ય બોલરો પાસેથી પ્રદર્શન સુધારવાની આશા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, 'તેણે ખૂબ જ સારી બોલિંગ કરી પરંતુ અન્યોએ તેનું સ્તર થોડું વધારવું પડશે. અમે દરેક મેચમાં સારો દેખાવ કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે સતત 6 મેચ હારી છે. અમે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે અમારું યોગ્ય સંયોજન શું છે, પરંતુ તે બધું વિરોધી ટીમ પર નિર્ભર કરે છે.
Published by:
rakesh parmar
First published:
April 16, 2022, 11:23 PM IST