કર્ણાટક હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો, કહ્યું - જાહેર સ્થળે ગેરવર્તન થશે તો જ SC-ST એક્ટ લાગુ થશે
News18 Gujarati Updated: June 24, 2022, 1:24 AM IST
કર્ણાટક હાઈકોર્ટ
SC-ST Act : કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) કહ્યું કે, આ કેસમાં અન્ય ઘણા કારણો પણ સામેલ છે, તેથી એવી પ્રબળ સંભાવના છે કે, ફરિયાદી, તેના કર્મચારીનો આશરો લઈને, આરોપીને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
નવી દિલ્હી. કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) કહ્યું છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST Act) ત્યારે જ લાગુ થશે જ્યારે જાહેર સ્થળે ગેરવર્તણૂક થાય. પેન્ડિંગ કેસને રદ કરતી વખતે, કોર્ટે કહ્યું કે ફરિયાદીએ આરોપ મૂક્યો હતો કે, બિલ્ડિંગના ભોંયરામાં, તેની સાથે જાતિવાદી શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સાથીદારો હાજર હતા. તેના પર કોર્ટે કહ્યું કે, ભોંયરું સાર્વજનિક સ્થળ નથી અને આ કેસમાં અન્ય કારણો પણ છે. આરોપીઓને ટાર્ગેટ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ આ મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે, નિવેદનોથી બે તથ્યો સામે આવ્યા છે, પહેલું એ કે ભોંયરું કોઈ સાર્વજનિક સ્થળ નહોતું અને બીજું કે જેઓ ફરિયાદીના સહકાર્યકરો છે તેઓ જ આ ઘટનાનો દાવો કરી રહ્યા છે. આ પૈકી એક વ્યક્તિને આરોપી રિતેશ પિયાસ સાથે બાંધકામ બાબતે તકરાર થતાં તેણે બાંધકામ સામે સ્ટે લીધો હતો. કોર્ટે કહ્યું કે, આ કેસમાં અન્ય ઘણા કારણો પણ સામેલ છે, તેથી એવી પ્રબળ સંભાવના છે કે, ફરિયાદી, તેના કર્મચારીનો આશરો લઈને, આરોપીને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ પણ વાંચો - ડોક્ટરને 70 વર્ષની ઉંમરે લગ્નના અભરખા મોંઘા પડ્યા, ભેજાબાજ યુવતીએ 1.80 કરોડનો લગાવ્યો ચૂનો આરોપી અને ફરિયાદી વચ્ચે ઝઘડો પણ થયો હતો
2020ની ઘટના બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, ફરિયાદી મોહન, ભવન સ્વામી જયકુમાર આર નાયર એક સાથીદાર છે. અહીં નાયરનો રિતેશ સાથે બાંધકામ બાબતે વિવાદ થયો હતો. મામલો ઉગ્ર બનતા તેમણે બાંધકામ સામે સ્ટે લીધો હતો. આરોપ છે કે, ઈમારતના નિર્માણ દરમિયાન રીતેશે મોહનને જાતિવાદી શબ્દો કહ્યા હતા. તે સમયે પીડિતા અને તેના સાથીદારો હાજર હતા. બિલ્ડિંગના માલિક જયકુમાર આર નાયરે કોન્ટ્રાક્ટ પર કામ આપ્યું હતું
Published by:
kiran mehta
First published:
June 24, 2022, 1:24 AM IST