

શું સાપ બદલો લે છે? હવે આ સવાલ છે કે રહસ્ય એ તો ખબર નથી પણ એક વ્યક્તિ સાથે જે બની રહ્યું છે તેને જોઈને બધા એ જ કહી રહ્યા છે કે સાપ બદલો લે છે. આ કહાની છે આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લાના કુમ્મારા ગુટા ગામમાં રહેતા સુબ્રમણ્યમની. 45 વર્ષના સુબ્રમણ્યમને સાપ એક બે વખત નહીં પણ 72 કરડ્યો છે. સુબ્રમણ્યમનું કહેવું છે કે સાપ છેલ્લા 32 વર્ષોથી કોઈ મતલબ વગર તેની સાથે બદલો લઈ રહ્યો છે. જ્યારે તે પાંચમાં ધોરણમાં ભણતો હતો ત્યારે તેને પ્રથમ વખત સાપે ડંખ માર્યો હતો. આ પછી વર્ષમાં બે વખત કોબરા સાપ તેને જરૂર કરડે છે.


આ વર્ષે અમાસના દિવસે સાપ દરવાજા સામે જોવા મળ્યો હતો. આ દિવસ તે બહાર જવાથી ડરે છે. 32 વર્ષોથી તેની સાથે આવું જ થઈ રહ્યું છે. આ અજીબ વાત પર ઘણો દુખ અનુભવું છું. તેનું કહેવું છે કે મને એ વાતની ખબર નથી કે સાપ મારી સાથે આ રીતે બદલો કેમ લઈ રહ્યો છે.


સાપના ડરના કારણે હું પોતાના કામ માટે બહાર જઈ શકતો નથી. એક ખેડૂત હોવાના કારણે મારા માટે દર વર્ષે 50 હજારનો ખર્ચ કરવો મુશ્કેલ છે. જ્યારે પણ મને સાપ કરડે છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરું છું કે તે મને આ અસમાન્ય પરિસ્થિતિઓમાંથી બહાર કાઢે.


આ આખી ઘટના વિશે સાપ પકડનાર રઘુરામે ન્યૂઝ 18ને કહ્યું હતું કે જ્યારે સાપ પાસે કોઈ સ્મૃતિ હોતી જ નથી તો તે કોઈ વ્યક્તિને કેવી રીતે યાદ રાખી શકે અને તેની સાથે બદલો લઈ શકે. આ બધી અંધશ્રદ્ધા છે. સાપ પાસે કોઈને યાદ રાખવા માટે કોઈ સામાજિક બંધન, બુદ્ધિ કે સ્મૃતિ હોતી નથી. જે પણ સુબ્રમણ્યમ સાથે બની રહ્યું છે તે ફક્ત એક સંયોગ છે.