

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 424 કેસ નોંધાયા છે. જેની સામે 301 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4408 થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.62 ટકા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 8,19,801 વ્યક્તિઓનું રસીકરણ (corona vaccination)થયું છે. 1,15,338 લોકોને વેક્સીનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 75, સુરતમાં 87, વડોદરામાં 89, રાજકોટમાં 63, જામનગર, કચ્છમાં 11-11, ગાંધીનગરમાં 10, આણંદ, ખેડા, ભાવનગરમાં 7-7 સહિત કુલ 424 કેસ નોંધાયા છે. આજે બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી એમ કુલ 7 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. આ મોત અમદાવાદમાં થયું છે. બીજી તરફ અમદાવાદમાં 86, સુરતમાં 50, વડોદરામાં 67, રાજકોટમાં 35, આણંદમાં 10, ગાંધીનગરમાં 9 સહિત કુલ 301 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)