અમદાવાદઃ ફરી સામે આવ્યો કોંગ્રેસમાં કકળાટ, કોંગ્રેસના બે કાઉન્સિલર ઓવૈસીને મળ્યા
News18 Gujarati Updated: September 11, 2022, 10:34 PM IST
બહેરામપુરાના તસલીમ તિરમિઝી અને ગોમતીપુર કાઉન્સિલર ઇકબાલ શેખ ઓવૈસીને મળ્યા
Gujarat Assembly Election 2022: બહેરામપુરાના તસલીમ તિરમિઝી અને ગોમતીપુર કાઉન્સિલર ઇકબાલ શેખ ઓવૈસીને મળ્યા છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રજકીય હલચલ વધી છે, ત્યારે ફરી એક વખત કોંગ્રેસમાં કકળાટસામે આવ્યો છે. કોંગ્રેસના બે કાઉન્સિલર અસદુદીન ઓવૈસીને મળ્યા છે. બહેરામપુરાના તસલીમ તિરમિઝી અને ગોમતીપુર કાઉન્સિલર ઇકબાલ શેખ ઓવૈસીને મળ્યા છે. કોંગ્રેસના આ બન્ને કાઉન્સિલરની તસવીરો વાયરલ થઇ રહી છે, જે બાદ અનેક તર્કવિતર્ક પણ થઇ રહ્યા છે.
ઇકબાલ શેખ એએમસી નેતા વિપક્ષ પદના દાવેદાર હતા, ત્યારે હાલ ઓવૈસી સાથેની તસવીરો વાયરલ થયા બાદ કકળાટની ચર્ચા શરૂ થઇ છે. શું ચૂંટણી નજીક આવતાં કોંગ્રેસમાં થશે કોઇ મોટા ભંગાણ? ઓવૈસી સાથે કોંગ્રેસના નેતાઓની તસવીરો અગાઉ પણ વાયરલ થઇ હતી. જે બાદ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આખરે કોંગ્રેસના બે કાઉન્સિલરે ઓવૈસી સાથે કેમ મુલાકાત કરી? તે અંગે ચર્ચાઓ થઇ રહી છે. કોંગ્રેસમાં કકળાટની વાત તો જુદી છે, પરંતુ ઓવૈસી ગુજરાત આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ સાથેની તેમની મુલાકાત ચર્ચા જગાડતી હોય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં બે કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ
બીજી બાજુ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ તૂટી રહ્યા હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. એક બાજુ, કોંગ્રેસના ઘણા નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. બીજી બાજુ, ગુજરાતની ચૂંટણી નજીક આવતાં ઓવૈસી અમદાવાદ આવ્યા છે અને આ બન્ને કાઉન્સિલરો સાથે તેમની થયેલી મુલાકાત ચર્ચાનો વિષય બની છે. આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે હાલ કોંગ્રેસના નેતાઓ વચ્ચે નારાજગી ચાલી રહી છે, ત્યારે બે કાઉન્સિલરોની ઓવૈસી સાથેની મુલાકાત ચોક્કસ રાજકીય ચર્ચા જગાડે તેમ છે.
Published by:
Azhar Patangwala
First published:
September 11, 2022, 10:34 PM IST