અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી બિલકુલ નજીક આવી ગઇ છે, ત્યારે ભાજપ દ્વારા પૂરપાટ ગતિએ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે ભાજપ કાર્પેટ બોમ્બિગ પ્રચાર પાર્ટ-2 કરશે. બીજા તબક્કા માટે ભાજપના પ્રચારની આંધી જોવા મળશે. આજે 93 બેઠકો માટે 27 દિગ્ગજો નેતાઓ 75 સ્થળે સભા સંબોધશે. એક દિવસમાં 93 બેઠકો માટે કાર્પેટ બોમ્બિંગ પ્રચાર જોવા મળશે. 2022ની ચૂંટણીમાં ભાજપનો પ્લાનિંગ સાથે પ્રચાર પ્રસાર જોવા મળી રહ્યો છે.
આજે 15 કેન્દ્રીય નેતા, 12 રાજ્યના નેતા સભાઓ ગજવશે. આજે 27 નેતાઓ પ્રચાર કરતાં જોવા મળશે, જ્યારે કાલથી 2 દિવસ PM મોદી પ્રચાર કરશે. સાથે જ અમિત શાહ, જે.પી.નડ્ડા, દેવેન્દ્ર ફડણવીસ જોડાશે. CM ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા પણ પ્રચાર કરશે.
93 બેઠકો માટે એક દિવસમાં ભાજપની 75 સભા- 15 કેન્દ્રિય, 12 રાજ્યના નેતાઓ સભાઓ કરશે
- જે.પી.નડ્ડા: શહેરા, સિદ્ધપુર, નિકોલ, ચાણસ્મમાં સભા
- અમિત શાહ: ખંભાત, થરાદ, ડીસા, સાબરમતી- મનસુખ માંડવિયા: દસક્રોઈ, વટવામાં સભા
- દેવેન્દ્ર ફડણવીસ: બાયડ, પ્રાંતિજ, મણિનગર
- મનોજ તિવારી: ડભોઈ, બાપુનગર, જમાલપુર
- રવિ કિશન: ભિલોડા, લુણાવાડામાં સભા
- અર્જુન મેઘવાલ: બોરસદ, દાણીલીમડામાં સભા
- નીતિન ગડકરી: નડિયાદમાં જાહેર સભા ગજવશે
- CM ભૂપેન્દ્ર પટેલ: મોરવાહડફ, સંતરામપુર
- CM ભૂપેન્દ્ર પટેલ:ખેડબ્રહ્મા, ઈડરમાં સભા
- પુરુશોત્તમ રૂપાલા: છોટાઉદેપુર, હિંમતનગર
- પુરુશોત્તમ રૂપાલા: ધોળકા, ઠક્કરબાપાનગર
- નીતિન પટેલ:કલોલ, માણસા, અમરાઈવાડી
- વિનોદ તાવડે 4, કૈલાશ ચૌધરી 2 સભા યોજશે
- વિનોદ સોનકર વડોદરામાં સભા યોજશે
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી સાથે નાનકડી આધ્યાનો વીડિયો તમે જોયો કે નહીં? થઇ રહ્યો છે વાયરલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બે દિવસ ગુજરાત પ્રવાસ
23 નવેમ્બર
- બપોરે 12.20 વાગે અમદાવાદ એરપોર્ટ પહોચશે
- અમદાવાદ એરપોર્ટથી મહેસાણા જશે
- બપોરે 1.00 વાગે મહેસાણાં સભા સંબોધશે.
- 1.55 વાગે મહેસાણાથી દાહોદ જશે
- બપોરે 3.30 વાગે દાહોદમાં સભા સંબોધશે
- સાંજે 5.30 વાગે વડોદરામાં સભા સંબોધશે
- સાંજે 7.30 વાગે ભાવનગરમાં સભા સંબોધશે
- રાત્રે 830 વાગ ભાવનગરથી અમદાવાદ જવા નીકળશે
- રાત્રે 9.20 એ અમદાવાદ એરપોર્ટ પહોચશે,
- ગાંધીનગર રાજભવનમાં રાત વિતાવશે.
24 નવેમ્બર
- સવારે 9.55 વાગે રાજભવનથી પાલનપુર જવા રવાના થશે
- સવારે 11.00 વાગે પાલનપુરમાં સભા સંબોધશે
- બપોરે 1.00 વાગે મોડાસામાં સભા સંબોધશે
- બપોરે 1.55 વાગે મોડાસાથી દહેગામ જવા રવાના થશે
- બપોરે 2.30 વાગે દહેગામમાં જાહેર સભાને સંબોધશે
- સાંજે 4.00 વાગે બાવળામાં સભાને સંબોધશે