Anand: કેન્સરને હરાવી આ યુવાને શરૂ કરી પ્રાકૃતિક ખેતી, મહિને બે લાખના પગારની નોકરી છોડી
Updated: February 24, 2023, 3:27 PM IST
કપડવંજનાં આંબલીયારાનાં ખેડૂત પુત્ર તુષારભાઇ પટેલને વોકલ કોર્ડ કેન્સર થયું હતું. બાદ બે લાખની નોકરી છોડી હતી. આજે પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. જમીન ભાડે રાખી તરબૂચ અને ટેટીની ખેતી કરે છે.
કપડવંજનાં આંબલીયારાનાં ખેડૂત પુત્ર તુષારભાઇ પટેલને વોકલ કોર્ડ કેન્સર થયું હતું. બાદ બે લાખની નોકરી છોડી હતી. આજે પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. જમીન ભાડે રાખી તરબૂચ અને ટેટીની ખેતી કરે છે.
Salim chauhan, Anand: ચોથા સ્ટેજના વોકલ કોર્ડના કેન્સર જેવી ગંભીર બીમારીને માત આપી પ્રાકૃતિક ખેતી તરફ વળનાર કપડવંજના આંબલીયારા ગામના 43 વર્ષીય યુવા તુષારભાઈ ગોરધનભાઈ પટેલ કેન્સર પીડિતો અને ખેડૂતો માટે મિસાલ બન્યા છે. તુષારભાઈએ આ વર્ષે મીરાપુર ગામ ખાતે ભાડે રાખેલી જમીનના ખેતરમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી તરબુચ અને શક્કર ટેટીની ખેતીની શરૂઆત કરી છે.
પિતા અને ભાઈની મદદથી તરબુચ અને શક્કર ટેટીની પ્રાકૃતિક ખેતી શરૂ કરી
તુષારભાઈ પટેલને ચોથા સ્ટેજનું કેન્સર હતું. તેઓ એક વર્ષ બાદ કેન્સરની સારવારમાંથી બહાર આવ્યા, ત્યારે ઓપરેશન કર્યા બાદ શરીરમાં ઘણા ફેરફાર થયા હતા. જેમ કે, હવે તેમનું નાક બંધ કરી દેવામાં આવ્યું છે અને શ્વાસ લેવા માટે ગળાના ભાગે એક કાણુ પાડ્યુ હતું. તેમને હવે કોઈપણ જાતની સ્મેલ પણ આવતી નથી અને સ્વરપેટી કાઢી નાખી હોવાથી બોલવા માટે મશીન વાપરવું પડે છે. આ તમામ શારીરીક, માનસિક અવરોધોને અવગણીને તુષારભાઈએ પુરા આત્મવિશ્વાસથી જ તેમના પિતા અને ભાઈની મદદથી તરબુચ અને શક્કર ટેટીની પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.
તુષારભાઇ મલ્ચીંગ પધ્ધતિથી ખેતી કરે છે
તુષારભાઈ મલ્ચીંગ પધ્ધતીથી ખેતી કરે છે. તુષારભાઈ ઇન્ટરનેટની મદદથી પ્રાકૃતિક ખેતીના વીડિયો જોઈ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતનાં પુસ્તક “પ્રાકૃતિક કૃષિ” માંથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી છે. તુષારભાઈએ ખેતી માટે વિવિધ પ્રકારે નવીનતમ અને દેશી પદ્ધતિઓ વિકસાવી છે. તેમના ખેતરમાં જમીનની અંદર રહેલા અળસિયા સહિતના સજીવોને ભેજ મળે અને જમીનની ફળદ્રુપતા વધે તે હેતુથી મલ્ચીંગ પદ્ધતિથી ખેતી કરે છે.
બેક્ટેરિયા માટે 4000 લીટરની કેપીસીટી ધરાવતી હવાબંધ ટાંકી બનાવી
તરબુચ ઉપર કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાના છંટકાવની જગ્યાએ દેશી ગાયનુ દૂધ, દેશી ગોળ અને હળદરના મિશ્રણ તેમજ દસ પર્ણી અર્કથી બનાવેલ દવાનો છંટકાવ કરવામા આવે છે. ઉપરાંત, જમીનની ફળદ્રુપતા વધારવા ખાસ પ્રકારના બેક્ટરીયાનો ઉપયોગ કરવામા આવે છે. દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, દિવેલીનો ખોળ અને લીંબોળીના ખોળના મિશ્રણથી તૈયાર કરવામાં આવેલા જીવામૃતનાં ઉપયોગથી બેક્ટેરીયા જમીનની ફળદ્રુપતા વધારે છે અને ઉત્પાદિત થતા ફળની મીઠાશ વધારે છે. આ બેક્ટેરિયા માટે 4000 લીટરની કેપીસીટી ધરાવતી હવાબંધ ટાંકી બનાવેલી છે. જેમાં બેક્ટેરિયા કલ્ચર, છાશ અને દેશી ગોળની મદદથી સાત દિવસ સુધી પ્રવાહીને હલાવીને બેક્ટેરીયા તૈયાર કરવામાં આવે છે.
ખેતી માટે તેઓ દરરોજ 400 લિટર જીવામૃતનો ઉપયોગ કરે છે
ખાતર માટેની ખાસ વ્યવસ્થા અંતર્ગત દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, સરગવાના પાન, શક્કરીયા, કોળું ઈત્યાદી ઓર્ગેનિક વેસ્ટ નાખી તૈયાર કરવામાં આવેલુ પ્રવાહી ખાતર તેમજ દસ જાતના પાંદડા જેમ કે ધતુરો, અરણી, સીતાફળ, લસણ વગેરેના મિશ્રણથી તૈયાર કરવામાં આવતી જંતુનાશક દવા અને ખાતર પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગમા લેવામાં આવે છે. તુષારભાઈએ ખેતરમાં જીવામૃત માટેનો એક એરોબિક જીવામૃત પ્લાન્ટ ઊભો કર્યો છે. જેમાંથી ખેતી માટે તેઓ દરરોજ 400 લીટર જીવામૃતનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ખેતરમાં આવેલા કુવાના પાણીને સેન્ડ ફિલ્ટર-માઈક્રો ફિલ્ટર મશીન વડે શુદ્ધ કરીને ખેતી માટે વાપરવામાં આવે છે. ખેતી માટે નુકસાનકારક કીટ-જિવાતો આ પીળા કાગળથી આકર્ષાઈને તેમા ચોંટી જાય છે અને મરી જાય છેતરબુચ અને ટેટીના નવજાત છોડને જીવાતોથી બચાવવા આખા ખેતરમાં થોડા થોડા અંતરે પીળા કાગળના સ્ટીકી ટ્રેપ પણ લગાવવામા આવ્યા છે. જેથી ખેતી માટે નુકસાનકારક કીટ-જિવાતો આ પીળા કાગળથી આકર્ષાઈને તેમા ચોંટી જાય છે અને મરી જાય છે.
ફાઈબર નેટવર્ક હેડ તરીકે માસિક રૂપિયા બે લાખની આવક થી નોકરી કરતા હતા
તુષારભાઈનું માનવુ છે કે, અત્યારે નાની ઉંમરે શરીરમાં થતી ઘણી બિમારીઓનું કારણ આપણા ખોરાકમાં આવતા કેમિકલ ત્તત્વો છે.પોતાના કેન્સરના અનુભવની વાત કરતા તુષારભાઈ જણાવે છે કે, તેમની વોકલ કોર્ડ કેન્સરની બીમારીનું કારણ રાસાયણીક ખાતરોથી તૈયાર કરેલી આહારમા લેવાતી ખેત પેદાશો છે. પરીણામે તેમણે આ નવા જીવનને પ્રાકૃતિક ખેતી માટે સમર્પણ કર્યુ છે અને સંકલ્પ કર્યો છે કે, હવેથી લોકોને ઝેરી કેમિકલ વગરના અને પોષણથી ભરપૂર ખોરાક આપવા માટે તેઓ પોતે પહેલ કરશે. સાથે સાથે કેન્સરના દર્દી માટે પણ પ્રેરણા રૂપ બની અને તેમની મદદ કરવી છે. નવાઈની વાત છે કે, અગાઉ તુષારભાઈ પટેલ ફાઈબર નેટવર્ક હેડ તરીકે માસિક રૂપિયા બે લાખની આવકથી નોકરી કરતા હતા. પરંતુ ખેતીમા કંઈક નવું કરી બતાવવાના જોશને કારણે તેઓ આજે પ્રાકૃતિક ખેતીને અપનાવી છે.
Published by:
Santosh Kanojiya
First published:
February 7, 2023, 4:17 PM IST