Video: પૂર્વી લદ્દાખમાં ભારતીય સેનાના ઈજનેરોનો કમાલ, થોડા જ ક્ષણોમાં સિંધુ નદી પર પુલ બનાવ્યો
News18 Gujarati Updated: September 13, 2022, 11:02 AM IST
ભારતીય સેનાએ ગણતરીના કલાકમાં સિંધુ નદી પર બનાવેલા બ્રીજનો વીડિયો વાયરલ થયો, તમે પણ જુઓ કમાલ.
Indian Army : સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એન્જિનિયરિંગમાં ભારતીય સેનાની શ્રેષ્ઠતા સ્પષ્ટ દેખાઈ રહી છે. પૂર્વી લદ્દાખમાં સપ્ત શક્તિ એન્જિનિયરોએ આ પરાક્રમ કરીને બતાવ્યો છે. વીડિયોમાં સેનાના જવાનો સિંધુ નદીમાં લોખંડના ભારે ભાગો નાખી રહ્યા છે. થોડા જ કલાકોમાં નદી પર એક પુલનું નિર્માણ થાય છે
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ફરીથી પોતાની યોગ્યતાને માન્યતા અપાવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એન્જિનિયરિંગમાં ભારતીય સેનાની શ્રેષ્ઠતા સ્પષ્ટ દેખાઈ રહી છે. વીડિયોમાં સેનાના જવાનો લદ્દાખના દુર્ગમ વિસ્તારમાં સિંધુ નદી પર પુલ બનાવતા દેખાઈ રહ્યા છે. વીડિયો ભારતીય સેનાના દક્ષિણ પશ્ચિમ કમાન્ડના ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોનું ટાઈટલ છે- ‘બ્રિજિંગ ચેલેન્જ - ના ટોરેન અને ના કોઈ એલ્ટીટ્યૂડ ઈન્સુરમટેબલ’. એટલે ‘પડકારો પર વિજય, ન કોઈ ભૂપ્રદેશ કે ન તો દુર્ગમ ઊંચાઈ’
સપ્ત શક્તિ એન્જિનયરોએ પરાક્રમ કરી બતાવ્યો
પૂર્વી લદ્દાખમાં સપ્ત શક્તિ એન્જિનિયરોએ આ પરાક્રમ કરીને બતાવ્યો છે. વીડિયોમાં સેનાના જવાનો સિંધુ નદીમાં લોખંડના ભારે ભાગો નાખી રહ્યા છે. થોડા જ કલાકોમાં નદી પર એક પુલ નજરે પડે છે. પુલ બન્યા પછી ભારે ટ્રક તેના પરથી પસાર થતો દેખાઈ રહ્યો છે. સિંધુ નદી પર બનાવવામાં આવેલો આ પુલ આપમેળે જ ખુલે છે. પછી એક-એક કરીને બધા જ ભાગો જોડાઈ જાય છે અને થોડા જ ક્ષણોમાં પુલ તૈયાર થઈ જાય છે.
આ પણ વાંચોઃ ભારતીય નૅવી કેટલા એરક્રાફ્ટ કૅરિયર અને સબમરીનથી સજ્જ છે?
સૈન્ય તંત્રનો પુરવઠો વધશે
લદ્દાખ સેક્ટરમાં ભારતીય સેના દ્વારા સિંધુ નદી પર બનાવવામાં આવેલા પુલથી ભારતીય સેનાના જવાનોને ઘણો ફાયદો થશે. સૈન્ય તંત્રનો પુરવઠો પણ વધશે. નોંધનાય છે કે, ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડે લદ્દાખ સેક્ટરના બે દિવસીય પ્રવાસ પર હતા. તેમણે ભારતીય વાયુસેનાના અપાચે એટેક હોલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી.
આ પણ વાંચોઃ નેપાળ અને ભૂતાન સરહદોની સુરક્ષા કરે છે SSB, 1 લાખ બહાદુર જવાનોની આ ફોજ વિશે જાણવા જેવું
જનરલ પાંડેએ ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી
સોમવારે સેના પ્રમુખ જમરલ મનોજ પાંડેએ 2020માં પૂર્વી લદ્દાખના ઘટનાક્રમના જવાબમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહીની પ્રશંસા કરી હતી. જનરલ પાંડેએ કહ્યુ હતું કે, ‘ભારતીય વાયુસેનાના અભૂતપૂર્વ યોગદાન અને એરલિફ્ટ’ વિના પૂર્વી લદ્દાખમાં સેનાની ટુકડીઓને સમયસર પહોંચાડવી અસંભવ હતી. લદ્દાખના તેમના બે દિવસીય પ્રવાસ પૂર્ણ કર્યા પછી દિલ્હી આવેલા જનરલ પાંડેએ સોમવારે માણેકશા સેન્ટરમાં પ્રથમ ભારતીય સેના લોજિસ્ટિક્સ સંમેલનના સંબોધનમાં આ વાત કહી હતી. તેમણે બે વર્ષ પહેલા પૂર્વી લદ્દાખમાં ચીન સાથે શરૂ થયેલા સરહદ અવરોધનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Published by:
Sahil Vaniya
First published:
September 13, 2022, 10:58 AM IST