Sonia Gandhi News: સોનિયા ગાંધી ગંગારામ હોસ્પિટલમાં દાખલ, કોરોના સંક્રમણના કારણે થઇ રહી છે પરેશાની
News18 Gujarati Updated: June 12, 2022, 3:46 PM IST
સોનિયા ગાંધી ગંગારામ હોસ્પિટલમાં દાખલ
sonia gandhi admitted to hospital - આ વાતની જાણકારી કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ આપી, સોનિયા ગાંધીને 2 જૂનના રોજ કોરોના થયો હતો
નવી દિલ્હી : કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને (sonia gandhi)દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં (ganga ram hospital)દાખલ કરવામાં આવ્યા છે. તેમને થોડા દિવસો પહેલા કોરોના થયો હતો. આ વાતની જાણકારી કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ (Randeep Singh Surjewala)આપી છે. તેમના મતે સોનિયા ગાંધીની હાલત સ્થિર છે અને તેમને હોસ્પિટલમાં દેખરેખ માટે રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી બે વખત તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે છેલ્લા 10 દિવસોથી બીમાર છે. તેમને 2 જૂનના રોજ કોરોના થયો હતો.
આ પણ વાંચો - જમ્મુ કાશ્મીર : બે અલગ-અલગ અથડામણમાં 4 આતંકવાદીઓ ઠાર, જુઓ એન્કાઉન્ટરનો Live Video
સોનિયા ગાંધીને 2 જૂનના રોજ કોરોના થયો હતો ત્યારે પણ સુરજેવાલાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. કોરોના સંક્રમિત થયા પછી તેમને હળવો તાવ છે સાથે તેમાં કોરોનાના કેટલાક બીજા પણ લક્ષણો હતા. આ પછી તેમણે પોતાને આઇસોલેટ કરી લીધા હતા અને ડોક્ટરોની દેખરેખમાં તેમની સારવાર ચાલી રહી હતી.
પ્રિયંકા ગાંધીને પણ થયો હતો કોરોના
દેશમાં કોરોના વાયરસના કેસ વધતા કોંગ્રેસના અન્ય નેતા પણ સંક્રમણની ચપેટમાં આવ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ સિવાય પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. પ્રિયંકાને સંક્રમણના હળવા લક્ષણો હતા. તેમણે પોતાને ઘરમાં આઇસોલેટ કરી લીધા હતા.
આ પણ વાંચો - રાજ્યસભા ચૂંટણીમાં શિવસેનાને મોટો ફટકો, સંજય પવારનો પરાજય, બીજેપીનો 3 સીટ પર વિજય
ઇડી સામે થવાનું છે હાજર
ગત દિવસોમાં ઇડીએ સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત મની લોન્ડ્રીંગ મામલામાં 23 જૂને પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે. આ પહેલા 8 જૂને હાજર થવાનું હતું પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાથી હાજર થવા માટે ઇડી પાસે નવી તારીખ માંગી હતી. દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 8582 કેસ સામે આવ્યા છે.
Published by:
Ashish Goyal
First published:
June 12, 2022, 3:07 PM IST