

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)1420 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1040 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 7 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3837 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,94,402 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 13,050 છે. આજે રાજ્યમાં કુલ 67,901 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.31 ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 246, વડોદરામાં 155, રાજકોટમાં 127, ગાંધીનગરમાં 86, બનાસકાંઠામાં 54, મહેસાણામાં 52, પાટણમાં 49 સહિત કુલ 1420 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 7 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2 જ્યારે પાટણ અને રાજકોટમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 206, અમદાવાદમાં 270, વડોદરામાં 105, રાજકોટમાં 89, ગાંધીનગરમાં 39 અને મહેસાણામાં 34 સહિત કુલ 1040 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)