

લેમનગ્રાસને (Lemongrass) આપણે લીલી ચા તરીકે ઓળખીએ છીએ. સ્વાસ્થ્ય માટે તે ખૂબ લાભદાયક હોય છે. લોકો તેને સામાન્ય રીતે ચામાં નાંખીને સેવન કરે છે. લેમનગ્રાસનો ઉપયોગ માથાનો દુખાવો, શરદી, તાવ જેવા રોગો સામે રક્ષણ મેળવવા માટે થાય છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફન્ગલ, એન્ટીડિપ્રેસન્ટના ગુણો રહેલા છે. તેમાં વિટામિન એ, ફોલિક એસિડ, ઝીંક, કોપર, આયરન, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો રહેલા છે.


ઇમ્યુનીટી બુસ્ટર - લેમનગ્રાસમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોને કારણે તે શરીરમાં સાઈકોટિનના પ્રોડક્શનને નિયંત્રિત કરે છે, જેથી ઇન્ફેક્શન કે ઇન્જરી દરમિયાન થતો દુખાવો કે સોજાને તે ઓછો કરે છે. તેમાં વિટામિન સી વધુ પ્રમાણમાં હોય છે.


સંધિવામાં કરશે મદદ - 30-60 વર્ષની ઉંમરે સૂમેટાઇડ આર્થરાઇટિસ થાય છે. જેમાં સાંધાનો દુખાવો અને સોજા આવે છે. જેને બીજા શબ્દોમાં સંધિવા પણ કહેવાય છે. આ સમસ્યાથી પરેશાન લોકો લેમન ગ્રાસના તેલનો ઉપયોગ કરી શકે છે. તેની માલિશ કરવાથી તેમાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો સંધિવામાં રાહત આપે છે.


વજન ઘટાડવામાં ઉપયોગી - વધતા વજનથી પરેશાન લોકો લેમનગ્રાસને પોતાના આહારમાં શામેલ કરી શકે છે. તેમાં રહેલું સિટ્રલ મેદસ્વીતા ઘટાડે છે. સાથે જ મેટાબોલિઝમમાં વધારો થાય છે.


ડાયાબિટીસમાં પણ લાભદાયી - લેમનગ્રાસમાં અને તેના ફૂલોમાં એન્ટી ડાયાબિટીક ગુણો રહેલા છે. જેનાથી ખાલી પેટ અને જમ્યા બાદ બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.


ત્વચા માટે લાભદાયી - લેમનગ્રાસમાં એન્ટિસેપ્ટિક ક્વાલિટી છે. જેનાથી તે પિમ્પલ્સ અને ઓઈલી સ્કિનની સમસ્યામાંથી છુટકારો આપે છે. સાથે જ તે ઘણા સ્કિન પ્રોબ્લેમ્સમાંથી રાહત આપે છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)